ઉંબરા જયારે ડુંગરા થાય ..... આ ઘડપણ કોણે મોકલ્યું ?
જિંદગી ઘણીવાર એવા વળાંક પર આવીને માનવીને ઉભા રાખી દે કે એ પરિસ્થિતિ માટે ખુશ થવું કે દુઃખી થવું એ જ ન સમજાય. એવું જ કઇંક હમણાં થયું. 19મી ઓગસ્ટ હતો ફોટોગ્રાફી ડે, એ નિમિત્તે બીબીસીએ ફોટો જર્નલિસ્ટ પાસે પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ મંગાવ્યા હતા.પ્રેસ ફોટોગ્રાફરોએ પોતાની કારકિર્દી દરમ્યાન બનેલા પિક્ચર્સ મોકલ્યા એમાં એક વાત બની. એક તસ્વીર હતી દાદી દીકરીના મિલનની . ફોટોગ્રાફર કલ્પિત ભસેચ દ્વારા શેર કરાયેલી . તસ્વીર હતી વૃદ્ધાશ્રમમાં રહેતા દાદી અને તેમની પૌત્રીના આકસ્મિક મિલનની. 19 ઑગસ્ટ, 2018 પછી આ તસવીર રાષ્ટ્રીય કક્ષાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. ક્રિકેટર હરભજન સિંઘ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોએ આ ફોટોગ્રાફને રિ-ટ્વીટ પણ કર્યો છે. આ તસવીર હાલમાં બીબીસી સાથે કામ કરતા અમદાવાદના સિનિયર ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે ખેંચી હતી. આ તસવીર કેવી રીતે ખેંચવામાં આવી હતી તે વિશે એમણે કહ્યું કે 2007ની સાલમાં એમને મોબાઈલ ફોન પર મણિનગરની GNC સ્કૂલનાં પ્રિન્સિપાલ રીટાબેન પંડ્યાનો ફોન આવ્યો. Skip Tw...